જીવનો જન્મ સાથેજ મૃત્યુનો આવિષ્કાર.
વચ્ચે વહેતી રહે જિંદગી દિવસ ચાર.
થા થા થૈયા કરતાં જ્યાં માંડ્યાં ડગ,
સંબંધો લેવા લાગ્યા ભિતર આકાર.
યુવાનીનો આવ્યો જરા જ્યાં અણસાર,
પ્રિત ઘેલાં બદલાયા આચાર વિચાર.
ફસાયાં એવા બોજમાં નામે-સંસાર,
રમે અટપટાં દાવો મનની આરપાર.
ધીમે ધીમે થતાં પરાયાં આપણા સહુ,
લાગવા માંડે છે ત્યાં સંસાર અસાર.
સમજી રહો જ્યાં સંસારનો સાર,
યમદૂતો ખખડાવે છે જીવન દ્વાર.
જીવનો જન્મ સાથેજ મૃત્યુનો આવિષ્કાર.
વચ્ચે વહેતી રહે જિંદગી દિવસ ચાર.
-કિરણ કાલરીયા
મંગળવાર, 29 ડિસેમ્બર, 2009
કવિ
લાગણીઓ ના કરે છે વાવેતર,
સિંચે છે એ ઊર્મિઓના જળ.
કરે છે કવિતાની એ ખેતી,
બહુ વિચીત્ર છે એ માણસ.
દીલમાં ખળભળતા લાવાની,
આપે એ કવ્યતરુઓને હુંફ.
વાવતો રહેતો-લણતો કશુયે ના
બહુ વિચીત્ર છે એ માણસ.
પવન બહુ કાતિલ વહે જ્યાં,
ધરા પણ ફળદ્રુપ છે ક્યાં ?
એમાં લણે શું, ધુળને ઢેફાં?
બહુ વિચીત્ર છે એ માણસ.
કોઇ કહેતું એને કવિ, તો
કોઇ કહેતું સાવ મુફલિસ.
આત્મસંતોષની મૂડી પામતો,
બહુ વિચીત્ર છે એ માણસ.
- કિરણ કાલરીયા.
સિંચે છે એ ઊર્મિઓના જળ.
કરે છે કવિતાની એ ખેતી,
બહુ વિચીત્ર છે એ માણસ.
દીલમાં ખળભળતા લાવાની,
આપે એ કવ્યતરુઓને હુંફ.
વાવતો રહેતો-લણતો કશુયે ના
બહુ વિચીત્ર છે એ માણસ.
પવન બહુ કાતિલ વહે જ્યાં,
ધરા પણ ફળદ્રુપ છે ક્યાં ?
એમાં લણે શું, ધુળને ઢેફાં?
બહુ વિચીત્ર છે એ માણસ.
કોઇ કહેતું એને કવિ, તો
કોઇ કહેતું સાવ મુફલિસ.
આત્મસંતોષની મૂડી પામતો,
બહુ વિચીત્ર છે એ માણસ.
- કિરણ કાલરીયા.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)