સોમવાર, 3 ઑગસ્ટ, 2009

જિંદગીની કિતાબ

વાંચી શકો જો મારી જિંદગીની કિતાબને,
સનસની ભર્યા પ્રસન્ગો થી ભરપુર છે.

જિંદગીના ચડાવ-ઉતારો જોઈ લાગતું,
કંઈ વિધાતા પણ અમારી સાથે ક્રુર છે.

જેને મંઝીલ બનાવી ચાલતા રહ્યાં,
એ સુખકેરો પ્રદેશ તો ઘણો દૂર છે.

જગમાં મશહૂર થવા રાખી ચાહત તો,
જુવો અમારાં દુઃખોય કેવા મશહૂર છે.

તરસતા રહ્યાં અમ્રુતના બે બુંદો કાજ,
વિષના નશામાં જિંદગી ચકનાચુર છે.

'કિરણ' જેના થકી થયો આટલો ખુવાર,
એ થૈ ગયું, બીજા કોઈની આંખોનુ નૂર છે.

1 ટિપ્પણી:

  1. જિંદગીના ચડાવ-ઉતારો જોઈ લાગતું,
    કંઈ વિધાતા પણ અમારી સાથે ક્રુર છે.

    jakas a line gami....

    જવાબ આપોકાઢી નાખો