વાંચી શકો જો મારી જિંદગીની કિતાબને,
સનસની ભર્યા પ્રસન્ગો થી ભરપુર છે.
જિંદગીના ચડાવ-ઉતારો જોઈ લાગતું,
કંઈ વિધાતા પણ અમારી સાથે ક્રુર છે.
જેને મંઝીલ બનાવી ચાલતા રહ્યાં,
એ સુખકેરો પ્રદેશ તો ઘણો દૂર છે.
જગમાં મશહૂર થવા રાખી ચાહત તો,
જુવો અમારાં દુઃખોય કેવા મશહૂર છે.
તરસતા રહ્યાં અમ્રુતના બે બુંદો કાજ,
વિષના નશામાં જિંદગી ચકનાચુર છે.
'કિરણ' જેના થકી થયો આટલો ખુવાર,
એ થૈ ગયું, બીજા કોઈની આંખોનુ નૂર છે.
સોમવાર, 3 ઑગસ્ટ, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
જિંદગીના ચડાવ-ઉતારો જોઈ લાગતું,
જવાબ આપોકાઢી નાખોકંઈ વિધાતા પણ અમારી સાથે ક્રુર છે.
jakas a line gami....